Thursday, October 3, 2013

હતા દિવાનગી ઉપર સમજદારીના પરદાઓ, તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તાઓ. - 'મરીઝ' અબ્બાસ વાસી

હતા દિવાનગી ઉપર સમજદારીના પરદાઓ,
તને પૂછી રહ્યો છું હું તને મળવાના રસ્તાઓ.

જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ,
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ.

ગરીબોના જીવનમાં ઝેર એવું રેડજે યારબ !
મરણનો ઘુંટ પી લે, એનું જીવન ચૂસનારાઓ.

કોઈ પાળે ન પાળે, ધર્મના કાનુન બાકી છે,
પથિક આવે નહીં તો પણ પડી રહેવાના રસ્તાઓ.

બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી મળતા મહોબ્બતના મુરાવાઓ.

'મરીઝ' એથી વધુ શું જોઈએ યાદી શરાબીને !
મદિરાલયમાં ભટકે છે હજી ટૂતેલી તૌબાઓ.

- 'મરીઝ' અબ્બાસ વાસી

No comments:

Post a Comment