ઊંઘ પણ આવે નહીં ને સ્વપ્ન પણ આવે નહીં,
સાવ સામે તું હતી ને તું ય બોલાવે નહીં.
હું કહું છું-લાવ તરા હાથમાં મહેંદી મૂકું,
એ છતાં યે તું હથેળી કેમ લંબાવે નહીં.
હું સુગંધીરૂપ છું એ કેમ સમજાવું તને?
પુષ્પની માફક પ્રકટ રહેવું મને ફાવે નહીં.
વેલ સૂકાતી રહી ને વૃક્ષ એકલતા સહે,
એક-બીજાની નિકટ આવી શકે, આવે નહીં.
આપણી વચ્ચે ‘ઇર્શાદ’ આડી ભીંત છે,
હું યે ઓળંગી શકું ને તું યે તોડાવે નહીં.
- ‘ઇર્શાદ’ ચિનુ મોદી
No comments:
Post a Comment