Sunday, June 28, 2015

ન આવ્યું આંખમાં આશું વ્યથાએ લાજ રાખી છે, - કૈલાસ પંડીત

ન આવ્યું આંખમાં આશું વ્યથાએ લાજ રાખી છે,
દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે...

તરસનું માન સચવાયું ફકત તારા વચન ઉપર,
સમયસર આભથી વિખરી ઘટાંએ લાજ રાખી છે...

ઘણું સારૂં થયું આવ્યા નહી મિત્રો મને મળવા,
અજાણી મારી હાલતની ઘણાએ લાજ રાખી છે...

પડી "કૈલાસ" ના શબ પર ઉડીંને ધુળ ધરતીની,
કફન ઓઢાંળીને મારી ખુદાએ લાજ રાખી છે...

- કૈલાસ પંડીત

No comments:

Post a Comment