Saturday, June 1, 2013

મારી કોઈ ડાંળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. - અનીલ જોષી (ગોંડલવાળા)

મારી કોઈ ડાંળખીમાં પાંદડા નથી,
મને પાનખરની બીક ના બતાવો.

પંખી સહિત હવા ચાંતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાવ પણ મારામાં ઝાડ હજી જાગે,
માળામાં ગોઠવેલી સળી હું નથી,
મને વિજળીની બીક ના બતાવો.

એકેય ડાંળીથી હવે જીલ્યો ના જાય કોઈ રાતી કિંડીનો એ ભાર,
એક પછી એક ડાંળ ખરતી જોવું ને થાય પડવાને કેટલી છે વાર,
બરફમાં હું ગોઠવેલું પાણી નથી,
મને સુરજ ની બીક ના બતાવો.

- અનીલ જોષી (ગોંડલવાળા)

1 comment: