તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ ,
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ .
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં ,
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ .
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો ,
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ .
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે ,
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ .
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં ,
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ .
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં ,
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ .
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ ,
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ .
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે ,
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ .
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ ,
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ .
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે ,
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ .
- 'આદિલ' મન્સૂરી
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ .
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં ,
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ .
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો ,
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ .
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે ,
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ .
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં ,
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ .
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં ,
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ .
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ ,
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ .
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે ,
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ .
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ ,
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ .
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે ,
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ .
- 'આદિલ' મન્સૂરી
No comments:
Post a Comment